CM ભુપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ પર આગમન, મહાનુભાવો એ કર્યું સ્વાગત

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૩ જુલાઇના રોજ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવાના છે. ત્યારે જામનગર એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી સાથે ચીફ સેક્રેટરી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીના સ્વાગતમાં મેયર વિનોદ ખીમસુર્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરચર, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, જીલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, કલેક્ટર બી.કે.પંડ્યા, કમિશ્નર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ, મહામંત્રી, અગ્રણી તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.