સમસ્ત પ્રજાપતિ સમાજ જામનગર જિલ્લાના મંત્રી તરીકે રોહિત ચૌહાણની નિયુક્તિ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના જામનગર જિલ્લાના મંત્રી પદે યુવા ઉત્સાહી અને સમાજસેવી રોહિત પ્રજાપતિ (ચૌહાણ)ની નિયુક્ત કરવામાં આવી છે.

જામનગરમાં રહેતા અને સમસ્ત પ્રજાપતિ સમાજ માં ઘણા લાંબા સમયથી કાર્યરત યુવા તરવરીયા અને સેવાભાવી બહોળા મિત્ર વર્ગ ધરાવતા રોહિત આર પ્રજાપતિ (ચૌહાણ)ની સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા જામનગર જિલ્લાના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના પ્રમુખ અનિલભાઈ પ્રજાપતિએ આ નિયુક્તિ કરતા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ અને જ્ઞાતિજનો દ્વારા જિલ્લાના મંત્રીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.