હ્રદય રોગના કારણે અવસાન પામેલ હોમગાર્ડ જવાનના વારસદારને રૂ.1.55 લાખની સહાય ચુકવાઈ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લાનાં સિક્કા યુનિટના હોમગાર્ડઝ સભ્ય હસમુખભાઇ ભગવાનજીભાઈ જાદવનું હ્રદય રોગના હુમલાને કારણે અવસાન થતા જિલ્લા કચેરીનાં વહીવટી સ્ટાફ અને સિક્કા યુનિટના ઓફિસર કમાન્ડિંગ મારફત તેમનાં પત્ની તેજલબેન હસમુખભાઇ જાદવે હોમગાર્ડઝ કલ્યાણ નિધીમાંથી અવસાન સહાય મેળવવા દરખાસ્ત કરેલ. જે ધ્યાને લઈ વડી કચેરીની કમિટી દ્વારા આ દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.

જે અનુસંધાને મૃતકના પરિવારજનોને હોમગાર્ડઝ કલ્યાણ નિધીમાંથી રૂ.૧,૫૫,૦૦૦/- ની સહાય મંજુર થતાં આ રકમનો ચેક જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા, સિક્કા કમાન્ડિંગ ઓફિસર શ્રવણ પ્રજાપતી તથા વહીવટી કર્મી ગીરીરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં તેમનાં વારસદાર પત્નીને આપવામાં આવ્યો હતો.