ઉનાળાની ગરમીમાં જામનગરના જનસેવા કેન્દ્રમાં જતા પહેલા અહીં એક નજર અવશ્ય કરો…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

વર્તમાન સમયમાં ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખતા હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 31/05/2024 સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. જે બાબતને અનુલક્ષીને જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, જામનગર શહેર અને જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, જામનગર ગ્રામ્યના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ઉનાળાને ધ્યાને લઇને આગામી તારીખ 27/05/2024 થી નવી સુચના બહાર ન પાડવામાંં આવે તે તારીખ સુધી ઉક્ત બંને કચેરીના જનસેવા કેન્દ્રનો સમય સવારના 09:00 કલાકથી બપોરના 01:00 કલાક સુધી અને સાંજના 04:00 થી 06:00 સુધી રાખવામાં આવ્યો છે. જેની જામનગરની તમામ જાહેર જનતાને ખાસ નોંધ લેવા અંગે મામલતદાર, જામનગર શહેર અને મામલતદાર, જામનગર ગ્રામ્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.