રણજીત નગર વેપારી મંડળ આયોજિત પ્રજાસતાક પર્વની ઉજવણીમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ધ્વજ વંદન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના રણજીત નગર વેપારી મંડળ દ્વારા ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, અને ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

રણજીત નગર વિસ્તારમાં વેપારીઓ દ્વારા આયોજિત ધ્વજ વંદના ના કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ધ્વજ વંદન કર્યા પછી અને રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા પછી ભારત માતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.

આવેળા એ તેઓની સાથે રણજીત નગર વેપારી મંડળના પ્રમુખ મુકેશભાઈ લાખાણી, ઉપપ્રમુખ સંદીપભાઈ વિરાણી, મંત્રી પ્રતિકભાઈ સંઘવી, ખજાનચી અજયભાઈ ઘૂંટલા અને અધ્યક્ષ હિતેશભાઇ ચંદારાણા સહિતના હોદ્દેદારો તેમજ સ્થાનિક વેપારીઓ જોડાયા હતા.