જામનગરમાં 7 જાન્યુઆરીએ હિન્દુ શક્તિ સંગમ, RSSનું સ્વયંસેવક એકત્રીકરણ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર મહાનગરમાં રવિવાર ના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ગણવેશ માં સજ્જ થઈ ગુર્જર સુતારની વાડી, ગાંધીનગર મેઈન રોડ ખાતે એકત્રીકરણ માં ભાગ લેશે. જામનગર શહેર નું એકત્રીકરણ માં અંદાજે 900 જેટલા નવા અને જૂના સ્વયંસેવકો ગણવેશ સાથે જોડાશે આ કાર્યક્રમ માં ઉચ્ચ માધ્યમિક , કોલેજીયન અને વ્યવસાયી સ્વયંસેવકો ભાગ લેશે.

2025 ના સંઘ ની સ્થાપન નું શતાબ્દી વર્ષ હોય શહેર ના નાનામાં નાના એક ઉપવસ્તી સુધી સંઘ કાર્ય પહોંચે બહોળા પ્રમાણમાં હિન્દુ સમાજ રાષ્ટ્ર સેવાના કાર્ય માં જોડાય એના એક ભાગ રૂપે જિલ્લા ભર માં એકત્રીકરણ ના આયોજન થયા છે.

આ એકત્રીકરણ માં સ્વયંસેવકો સવાર થી સાંજ સુધી સાથે રહી વિવિધ કાર્યક્રમ માં ભાગ લઈ આગામી આયોજન કરશે.

આ સ્વયંસેવકો નું બે ભાગ માં પથ સંચલન શહેર ના માર્ગો પર યોજાશે જેનું સ્વાગત શહેરીજનો દ્વારા કરવામાં આવશે.