જામનગરના વરસાદ પ્રભાવિત વિસ્તારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં આવ્યા છે. CM અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં 2 ખાતે આવેલ ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

મુખ્યમંત્રીએ આ તકે વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે સંવાદ કરી તેઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ વરસાદી પાણીથી થયેલ નુકસાન તેમજ હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રી સાથે આ તકે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર બી.એ.શાહ, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી સહિતના મહાનુભાવો જોડાયા હતા.