લાલપુર હાઇવે પર ચંગા નજીક બસ પલટી, 10 ઇજાગ્રસ્ત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ચંગા પાટીયા પાસે બસ પલટી મારી છે. મોડી સાંજે બનેલા ગમખ્વાર અકસ્માતમાં બસ માંથી મુસાફરો કાચમાંથી બહાર નીકળવાનો કરી રહ્યા છે પ્રયત્ન કરતા જોવા મળ્યા હતાં. જામનગર લાલપુર રોડ પર સર્જાયેલ બસ પલ્ટી મારવાના આ અકસ્માતમાં 8 થી 10 લોકોને ઈજા પહોંચી હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. […]

Continue Reading

જોડિયામાં જિલ્લા કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, DDO વિકલ્પ ભારદ્વાજે કર્યું ધ્વજવંદન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેકટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાના ૭૫માં પ્રજાસતાક પર્વની ઉજવણી જોડિયા તાલુકાના બાદનપરના ઢાળિયા પાસે શ્રેયસ સ્કૂલની સામેના મેદાનમાં કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે દવજવંદન કરવામાં આવ્યું હતું. દવજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પોલીસ અધિક્ષક […]

Continue Reading

રણજીત નગર વેપારી મંડળ આયોજિત પ્રજાસતાક પર્વની ઉજવણીમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ધ્વજ વંદન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના રણજીત નગર વેપારી મંડળ દ્વારા ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, અને ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રણજીત નગર વિસ્તારમાં વેપારીઓ દ્વારા આયોજિત ધ્વજ વંદના ના કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ધ્વજ વંદન કર્યા પછી અને રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા […]

Continue Reading

ખોડલધામ કેન્સર હસ્પિટલના ભૂમિ પૂજનમાં વડાપ્રધાન મોદી સહભાગી થશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : આવતીકાલે શ્રીખોડલધામ કાગવડના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વર્ચ્યુલી સહભાગી થશે. શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે યોજાનાર ખોડલધામ કેન્સર હસ્પિટલના ભૂમિ પૂજન અને સપ્તમ પાટોત્સવમાં કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહભાગી થશે. અયોધ્યાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ મહાસભાને સવારે ૧૧ વાગ્યે વર્ચ્યુઅલ સંબોધન કરશે. શ્રી ખોડલધામ પાટોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ […]

Continue Reading

અયોધ્યાની સાથે જ પડાણામાં રિલાયન્સ દ્વારા જિર્ણોદ્ધાર થયેલા રામ મંદિરનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 22 જાન્યુઆરી એ શોભાયાત્રા સહિત ત્રિદિવસીય કાર્યક્રમોની ધામધુમથી થશે ઉજવણી  જામનગર જિલ્લામાં રિલાયન્સ રીફાઈનરી નજીકના પડાણા ખાતે આગામી તા. ૨૦-૨૧-૨૨ જાન્યુઆરી દરમિયાન ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પડાણામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા જિર્ણોદ્ધાર કરવામાં આવેલા શ્રી રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના શુભ મૂહુર્તમાં મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા માટે […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે બેરાજા જગા મેઇન રોડ પર નવનિર્મિત માઈનોર બ્રિજનું લોકાર્પણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર તાલુકાના બેરાજા જગા રોડ ઉપર રૂ.૯૯.૫૪ લાખના ખર્ચે નવનિર્મિત ૭મીટરના ૪ ગાળા તથા ૭ મીટરના એક ગાળાના માઈનોર બ્રિજનું રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના […]

Continue Reading

ધુવાવ બાયપાસ થી ખિમરાણા બાયપાસ સુધી 93લાખના ખર્ચે રોડ બનશે, મંત્રી રાઘવજી પટેલે ખાતમુહૂર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ધુવાવ બાયપાસથી ખીમરાણા બાયપાસને જોડતા ૧.૫૦કિમીના કાચા રસ્તા પર ડામર રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામસડક યોજના હેઠળ રૂ.૯૩ લાખના ખર્ચે ડામર રોડનું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું […]

Continue Reading

જામનગરના કલેકટર – પોલીસ અધિક્ષકના નિવાસસ્થાને અયોધ્યાથી પવિત્ર અક્ષત કળશનું પૂજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર જામનગર સમિતિ દ્વારા જામનગરના જિલ્લા કલેકટર બી. એ.શાહને અયોઘ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ખાતેથી આવેલ પવિત્ર અક્ષત કળશ અને અયોધ્યાની મંદિરની પ્રતિકૃતિ તેમજ આમંત્રણ પત્રિકા તેમના નિવાસ્થાને અર્પણ કરવામાં આવી હતી. આ તકે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર જામનગર ટીમના ભરતભાઇ ડાંગરિયા, ધર્મેન્દ્રસિંહ જેઠવા, […]

Continue Reading

કાલાવડમાં લેઉવા પટેલ સમાજનો ૧૬મો સમુહ જ્ઞાતિ ભોજન તેમજ સન્માન સમારોહ સંપન્ન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : જામનગર જિલ્લાના કાલાવડ ખાતે લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનો માટે કાલાવડ તાલુકા લેઉવા પટેલ સમાજના નવનિર્માણાધિન સમાજ ભવનની જ્ગ્યામાં ૧૬ મો સમુહ ભોજન સમારંભ તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેના અન્ન ભેગા તેના મન ભેગા.. સૂત્રને સાર્થક કરતા લેઉવા પટેલ સમાજ કાલાવડ ના સમૂહ જ્ઞાતિ ભોજન અને સન્માન સમારોહમાં […]

Continue Reading

જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ ધાર્મિક વિધિથી કર્યું અક્ષત કળશનું પૂજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે નિર્માણાધિન શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22, જાન્યુઆરી, 2024ના થઈ રહી છે. ત્યારે ખાસ જામનગર નવાનગર સ્ટેટના રાજવી મહારાજા શત્રુશલ્યસિંહજીને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી આવેલ અક્ષત કળશ અને આમંત્રણને વિશ્વ હિન્દુ પરિષદના તેમજ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર જામનગર […]

Continue Reading