ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓને મળશે ઘર આંગણે જ શ્રેષ્ઠ પુસ્તકોનું જ્ઞાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જિલ્લા પંચાયત, જામનગર તથા નયારા એનર્જીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર હસ્તકની ૧૦૦ પ્રાથમિક શાળાઓમાં લાયબ્રેરીના પુસ્તકોની કીટ વિતરણનો કાર્યક્રમ જિલ્લા પંચાયત જામનગરના સભાખંડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રની શાળાઓના વિદ્યાર્થીઓને પણ ઘર આંગણે જ શ્રેષ્ઠ પુસ્તકો મળી રહે અને પાયાથી જ વિદ્યાર્થીઓનું જ્ઞાન અને […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા વાલસૂરા SSB કેમ્પ ખાતે વૃક્ષારોપણ કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વાસલુરા SSB કેમ્પ ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એસ.એસ.બી ગ્રાઉન્ડમાં મંત્રીએ વૃક્ષારોપણ કરીને શાળાના વિધ્યાર્થીઓ સમક્ષ આપણા જીવનમાં વૃક્ષો કેટલા ઉપયોગી છે. તેમજ તેનું જતન કરી આવનારી પેઢીને મદદરૂપ થવા જણાવ્યું હતું. આ તકે પેરામિલીટરી ફોર્સ દ્વારા […]

Continue Reading

વિશ્વ સાક્ષરતા દિવસે જામનગરના દગદુશેઠ ગણપતિ મહોત્સવમાં સર્જાયો નવો વિક્રમ, વિશ્વની સૌથી મોટી માર્કર પેન બની જામનગરમાં….

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સાક્ષરતા દિવસે નવો વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વની સૌથી મોટી માર્કર પેન બનાવી જામનગરના નામે નવો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. અગાઉ કેરળ માં 12 નવેમ્બર, 2020માં 9 ફૂટની મોટી માર્કર પેન બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવવામાં આવ્યો હતો. આ રેકોર્ડને જામનગરના ગણપતિ […]

Continue Reading

જામનગરમાં દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરના મેહુલનગરમાં આવેલ ઓમ ટ્રેનિંગ સેન્ટર ખાતે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી અને ઓમ ટ્રેનીંગ સેન્ટર જામનગર દ્વારા સંયુક્ત રીતે જામનગર ૭૭ વિધાનસભા મત વિસ્તાર અને ૭૮ વિધાનસભા મત વિસ્તાર આવરી લેતા “દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમનું” આયોજન કરવામાં આવ્યું હતું. મતદાનના દિવસે કોઈ પણ દિવ્યાંગજન […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે ધૂળશિયા અને ધૂતારપર ગામે 2.10 કરોડના ખર્ચે બ્રિજનાં રીપેરીંગ અને કૉઝવેનાં ખાતમુહુર્ત કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ધૂતારપર ગામે આવેલ મેજર બ્રિજના  સ્લેબ ડ્રેઈનની કામગીરી નું રૂ. 88 લાખના ખર્ચે તેમજ ધૂળશિયા ગામે નિર્માણ પામનાર કોઝવેનું રૂ. 123 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જામનગર તાલુકા હેઠળના ધૂતારપર, સુમરી, પીઠડીયા, ખારાવેઢા ગામને જોડતા રસ્તા પર […]

Continue Reading

જામનગરમાં રસ્તે રજડતા 1500 થી વધુ ઢોર મહાનગરપાલિકાએ ઝડપી પાડ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા તથા પોલિસ ડીપાર્ટમેન્ટના સંયુકત ૪-ટીમો મારફત સતત રાત-દિવસ ત્રણ શિફટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જેમાં આજરોજ ૭ ઢોરોને પકડવામાં આવેલ છે, તેમજ ચાલુ વર્ષે કુલ-૧૫૩૮ ઢોરોને પકડવામાં આવેલ છે […]

Continue Reading

જામનગર મહાનગર પાલિકાના યુ.સી.ડી. વિભાગ દ્વારા અપાતી PM સ્વનિધિ યોજનાની લોન બની આશીર્વાદ સમાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સેવાસેતુ કેમ્પ યોજાયો હતો , આ સેવા સેતુ કેમ્પમાં જામ્યુંકો અને મામલતદાર કચેરીની વિવિધ સેવાઓ એક જ સ્થળે થી શહેરીજનોને મળી રહે તેવા આશય સાથે આ સેવા સેતુ કેમ યોજાયો હતો. આ કેમ્પ દરમિયાન કમિશનર વિજયકુમાર ખરાડી ના આદેશ અનુસાર, નાયબ કમિશનર ભાવેશભાઇ જાનીના મોનીટરીંગ […]

Continue Reading

જામનગરના સસોઈમાં નર્મદાના નીરની કૃષિમંત્રી સહિતના મહાનુભાવો એ વધામણા કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે સસોઇ ડેમમાં નર્મદા નદીના નવા નીરનાં વધામણાં કરવામાં આવ્યા હતા. ‘સૌની યોજના લિંક 1’ મારફત મચ્છુ 2 ડેમથી પમ્પીંગ કરીને આજી 3 ડેમ પમ્પીંગ સ્ટેશન, ઊંડ 1 ડેમ પમ્પીંગ સ્ટેશન અને પીપરટોડા પમ્પીંગ સ્ટેશન મારફતે જામનગર- લાલપુર તાલુકામાં […]

Continue Reading

જામનગરમાં ગણેશ વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા કરાયું આવું આયોજન, જાણી લો વિસર્જનની વ્યવસ્થા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ મહોત્સવને ધ્યાને રાખીને શહેરમાં બે જગ્યાએ મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ ગણેશ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. કુંડ મા વિઘ્નહર્તાની પ્રતિમા નું વિસર્જન કોર્પોરેશન દ્વારા નક્કી કરેલા નિયમ મુજબ બંને સ્થળો પર જ કરી શકાશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ બાદ મૂર્તિ વિસર્જન માટે વિઘ્નહર્તાની પ્રતિમાનું […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે મતવા ગામને જોડતા ચાર કોઝવેનું ખાતમુહૂર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીરાઘવજીભાઈ પટેલના હસ્તે મતવા ગામને જોડતા ચાર કોઝ-વેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અન્વયે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મતવા ટુ હનુમાન મંદિર રસ્તે રૂ.૩૦ લાખ, મતવા ટુ ઓલ્ડ ધુતારપર રસ્તે રૂ.૩૦ લાખ, મતવા ટુ નાની માટલી રસ્તે રૂ.૩૦ લાખ તેમજ મતવા […]

Continue Reading